બળ, બુદ્ધિ અને વાણી
બળપ્રયોગ અને બુદ્ધીપ્રયોગ ની વચ્ચે આવે છે, વાણીપ્રયોગ (સૌથી ઘાતક). ક્યારે બોલવું, શું બોલવું, કોની સામે બોલવું, બોલવાની જરૂર છે ખરી? એ વિચાર્યા વગર બોલવું – એ બધું ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે.
“મુર્ખાઓ બોલતા હોય ત્યારે ચુપ રહેવું” એ જૂની વાત છે. નવું વર્સન આ રહ્યું: “મૂરખાઓ બોલતા હોય ત્યારે, તમારી વાતને એવી રીતે રજુ કરો કે, બીજીવાર એ મુર્ખ પ્રાણીઓ વિચાર્યા વગર ના બોલે”
જયારે રસપ્રદ ચર્ચા ચાલતી હોય અને દરેકના અભિપ્રાયની જરૂર હોય ત્યારે, જેમ્સ બોન્ડની જેમ ફક્ત જોયા કરવું અને કઈ ના બોલવું, એ તમને મહાન માણસમાં (કાં તો મુર્ખ માણસમાં) ખપાવી શકે છે. “કોઈ પૂછે તો જ બોલવું” એવો ખોટો દંભ છોડી જ્યાં જરૂર હોય ત્યાં બોલવું!
નોંધ: હું જે લખી રહ્યો છું, તે જ હું બોલી રહ્યો છું, એમ ધારી લેવું નહિ !!


સત્ય છે ….
તમારા વિચાર સાથે હું સહમત છું …..
Vihang Joshi
February 22, 2012 at 5:25 am
thanks..
નિલેશ ગામીત
February 22, 2012 at 6:13 am
હું જ્યારે ખોટો હોઉં ત્યારે બોલતો નથી
Kartik
February 22, 2012 at 5:55 am
me too…
નિલેશ ગામીત
February 22, 2012 at 6:12 am
વાત તો બધ્ધી મુદ્દાની કરી. સ્પેશીયલી, આ બહુ ગમ્યું… “ચીલ ઢોંઢું !”
બગીચાનો માળી
February 24, 2012 at 9:12 am
thanks
નિલેશ ગામીત
February 24, 2012 at 9:30 am